(જી.એન.એસ. કાર્તિક જાની) તા.૧૭
આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાજપૂત કરણી સેના દ્વારા કરણી સેના આમુખ માસિક મુખ પત્ર નું વિમોચન કરવામાં આવ્યુ જેમાં પૂર્વ આઈ.પી.એસ.ડી.જી.વણઝાર તેમજ તેમના ભાઈ કે.જી.વણઝાર તેમજ કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા તેમજ કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમાર સહિત અન્ય મહાનુભાવો હજાર રહયા હતા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ કરણી સેના આમુખનું લાકાર્રપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય કર્ણીસેનાના ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાએ મૂખપત્રની શરૂઆત કરવામાં આવી છે. જેમા દેશમાં રાજપૂત સમાજના ઇતિહાસને લોકો સુધી પહોંચાડવામાં આવશે. આમુખ દ્વારા સામાજિક સેવાની સાથે સાથે સમાજનો એવો ઇતિહાસ જે આજ સુધી ક્યાંય પ્રસિદ્ધ થયો નહી હોય તેને આ પત્રિકામામં પ્રસિદ્ધ કરવામાં આવશે.કરણી સેનાના કામને લોકો સુધી પહોચાડવમાં આવશે. આર્મી એરફોર્સ નેવી દ્વારા જે જવાનોને પરમવિર ચક્ર સાથેના જે સમ્માનીત કરવામાં આવ્યા છે. તેના સમાવામાં આવશે. સાથે-સાથે ભારતમાં ચાલતી કરન્ટ અફેર તેમજ રાષ્ટ્રીય મુદ્દાને લોકોને માહિતી આપવામાં આવશે.
સાથે સરકારનો આભાર માનતા જણાવ્યું કે પદ્માવત ફિલ્મને લઈને જે વિવાદ થયો હતો અને તેમાં કેટલાક રાજપૂત યુવાનોની અટકાયત કરી કેસ કરાયા હતા તે પાછા ખેંચવા માટે રાજપૂત સંગઠનો અને કરણી સેના દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી હતી.જેને લઈને સરકારે લોકસભા ચૂંટણી પહેલા યુવાનો ઉપરના કેસ પાછા ખેંચવાનું વચન આપ્યું હતું જેથી સરકાર સામે કોઈ અસંતોષ રહેતો નથી.
બાઈટ…રાજ શેખાવત
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.