(જી.એન.એસ.)કચ્છ,તા.૫
કચ્છના મુંદ્રાના બેરાજામાં એરફોર્સનું પ્લેન ક્રેશ થયું છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. પ્લેન ક્રેશમાં પાયલટ એર કોમોડોર સંજય ચૌહાણનું મોત થયું છે. આ ઉપરાંત પ્લેન ક્રેશને કારણે પાંચ પશુઓના પણ મોત થયા છે.
ક્રેશ થયેલું પ્લેન ઇન્ડિયન એરફોર્સનું જગુઆર વિમાન હતું. વિમાને નિયમિત્ત તાલિમના ભાગરૂપે વહેલી સવારે જામનગર એરફોર્સ બેઝથી ઉડાન ભરી હતી. વિમાન ક્રેશના સમાચાર મળતા જ મુદ્રા પોલીસ તેમજ એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.