આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીત્યા બાદ ટીમ ઈન્ડિયા અને ક્રિકેટના ચાહકો ખૂબ ઉત્સાહમાં આવી ગયા છે. ભારતીય ચાહકો માટે આ ખિતાબ બેવડી ખુશી લઈને આવ્યો છે, કારણ કે ટીમ ઈન્ડિયાએ માત્ર સતત બીજી ટુર્નામેન્ટ જીતી નથી, પરંતુ તેના પ્રિય ખેલાડીઓએ નિવૃત્તિની અફવાઓનો પણ પૂર્ણવિરામ મૂક્યું છે.
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની નિવૃત્તિ અંગેની અટકળોને નકારી કાઢી છે. ફાઇનલમાં ટીમ ઇન્ડિયા માટે વિજયી ચોગ્ગો ફટકારનાર જાડેજાએ એક દિવસ પછી સોમવાર, 10 માર્ચે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘બિનજરૂરી અફવા ન ફેલાવો, આભાર.’ ત્યાર બાદ ચાહકોએ જાડેજાની નિવૃત્તિના સમાચારને નકારી કાઢ્યા છે અને ક્રિકેટ પ્રેમીઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.