Home ગુજરાત ઇશરત એન્કાઉન્ટર ઃ ફરિયાદી ગોપીનાથ પિલ્લઇનું અકસ્માતમાં મોત

ઇશરત એન્કાઉન્ટર ઃ ફરિયાદી ગોપીનાથ પિલ્લઇનું અકસ્માતમાં મોત

606
0

(જી.એન.એસ., પ્રશાંત દયાળ) તા.13
ગુજરાતમાં વર્ષ 2002થી 2006 સુધી ગુજરાત પોલીસ દ્વારા થયેલા બનાવટી એન્કાઉન્ટર કેસ હવે કોર્ટમાં આવી ઉભા છે. સોહરાબુદ્દીન શેખના બનાવટી એન્કાઉન્ટર કેસ સાંભળી રહેલા જજ લોયાના શંકાસ્પદ મોતનો મામલો હાલમાં સુપ્રીમ કોર્ટ સામે ચાલી રહ્યો છે ત્યારે 2004માં થયેલા ઈશરત એન્કાઉન્ટર કેસના અરજદાર ગોપીનાથ પિલ્લઇનું રોડ અકસ્માતમાં કેરળમાં મોત નિપજ્યુ હોવાની જાણકારી મળી રહી છે.
2004માં અમદાવાદના કોતરપુર વોટર વર્કસ પાસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બનાવટી એન્કાઉન્ટર કરી ઈશરત જહાં સહિત ચાર લોકોની હત્યા કરી નાખી હતી. પોલીસનો દાવો હતો કે આ ચારેય આતંકી હતા અને નરેન્દ્ર મોદીને મારવા આવ્યા હતા. જો કે આ મામલે ગુજરાત હાઈકોર્ટના આદેશથી સીબીઆઇ દ્વારા થયેલી તપાસમાં પોલીસની થિયરી ખોટી સાબીત થઈ હતી. સીબીઆઇ દ્વારા આ મામલે ગુજરાત પોલીસ અને ઈન્ટેલીઝન્સ બ્યુરોના અધિકારીઓને આરોપી બનાવી ચાર્જશીટ કરી છે.
આ હત્યાકાંડમાં માર્યા ગયેલી ઈશરતના બોયફ્રેન્ડ જાવેદ પિલ્લાઈને પણ પોલીસે મારી નાખ્યો હતો. જાવેદના પિતા ગોપીનાથ પિલ્લાઇ દ્વારા પોતાના પુત્રની હત્યા કરવામાં આવી છે તે મુદ્દે વિવિધ કોર્ટમાં અરજીઓ કરી હતી. આ દરમિયાન ગુરૂવારના રોજ કેરળ ખાતે પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી ગોપીનાથ હોસ્પિટલની બહાર નિકળ્યા ત્યારે એક અજાણ્યુ વાહન તેમને ટક્કર મારી જતુ રહ્યુ હતું, ગોપીનાથને સારવાર માટે કોચીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા જયાં તેમનું મોત નિપજ્યુ હતું. આ એંક સંજોગ પણ હોઈ શકે છે પણ એન્કાઉન્ટર સાથે સંકળાયેલી વ્યક્તિઓના જે પ્રકારે શંકાસ્પદ મોત થઈ રહ્યા છે તેના કારણે ગોપીનાથના મૃત્યુ અંગે પણ શંકાઓ થઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field