Home ગુજરાત આ વર્ષે અમદાવાદમાં રથયાત્રા નહીં નિકળે….!?

આ વર્ષે અમદાવાદમાં રથયાત્રા નહીં નિકળે….!?

410
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.18
સુપ્રિમ કોર્ટે કોરોના મહામારીને જોતાં પૂરીના જગ વિખ્યાત ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા આ વખતે મોકૂફ રાખવા આદેશ આપ્યો છે ત્યારે તેનું કારણ આગળ ધરીને ગુજરાતમાં પણ અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા મોકૂફ રહે તેમ મનાય છે. બીજી તરફ આ રથયાત્રા વર્તમાન પરિસ્થિતિને જોતાં મોકૂફ રાખવાની દાદ માંગતી એક રીટ અરજી પણ હાઇકોર્ટમાં થઇ છે. તેથી અમદાવાદમાં આ વર્ષે રથયાત્રા નહીં નિકળે એમ જણાઇ રહ્યું છે.
દર વર્ષે અમદાવાદમાં અષાઢી બીજના દિવસે જમાલપુરના મંદિરેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા 3 રથો સાથે નિકળે છે. આ વર્ષે અમદાવાદ કોરોનામાં સપડાયેલું છે. રથયાત્રાનો રૂટ કોરોનાના રેડઝોનમાંથી પસાર થાય છે. રથયાત્રામાં હજારો ભક્તો જોડાતા હોવાથી કોરોના સંક્રમણને રોકવા રથયાત્રા આ વખતે રદ્દ કરવામાં આવે એવા સરકારી એજન્સીઓના રીપોર્ટ પણ હોવાથી પૂરીની રથયાત્રાને મોકૂફ રાખવાના આદેશથી અમદાવાદની રથયાત્રા પણ આ વર્ષે કોરોનાને લીધે મોકૂફ કે રદ્દ કરવામાં આવે તેમ સૂત્રોએ જણાવ્યુ હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોરોનાનો કહેર, સંક્રમિતોની સંખ્યા 2,36,657, ઈટાલીને પછાડી ભારત છઠ્ઠા ક્રમ પર
Next articleકોરોનાની મહામારીમાં નિષ્ઠાવાન તલાટીની પ્રશંસનનીય કામગીરીને તા. વિ.અધિકારીએ બિરદાવી