Home ગુજરાત આર્થિક તંગીના કારણે પોલીસ કર્મીએ કરી આત્મહત્યા, મધ્યપ્રદેશમાં પોલીસને રક્ષણ તો ગુજરાતમાં...

આર્થિક તંગીના કારણે પોલીસ કર્મીએ કરી આત્મહત્યા, મધ્યપ્રદેશમાં પોલીસને રક્ષણ તો ગુજરાતમાં કેમ નહિ…?

271
0

(જી.એન.એસ રવીન્દ્ર ભદોરિયા),તા.૨૧ ગાંધીનગર

ગાંધીનગર સલામતી શાખાના કામાન્ડોએ આર્થીક પરીસ્થિતિના કારણે છાતીના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી સમગ્ર સલામતી શાખામા શોકનો માહોલ થઈ ગયો હતો. ૫૩ વર્ષીય સાતાભાઈ ચોહાણએ રજાના દિવસે રિવોલ્વર સાફ કરવાના બહાને આત્મહત્યા કરી હતી. આ સંદર્ભે ગાંધીનગરના નાયબ પોલીસ અધિક્ષક એમ.કે. રાણા સાહેબે જણવ્યું કે સલામતી શાખાના કમાન્ડોએ પોતાના રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેથી પોલીસે સ્થળ ઉપર જઈને લાશને કબજે લઇ તેને પી.એમ માટે મોકલી આપી હતી.વધુની કાર્યવાહી ચાલુ છે.

સાતાભાઈ ચોહાણે આત્મહત્યા કરતા પેહલા એક સુસાઇડ નોટ લખી હતી જેમાં લખ્યું હતું કે “હું હારું એવો નથી”,”વિધિની વક્રતા કેમ રોકાય”. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કેટલા અધિકારી પણ એવા છે આર્થીક તંગીના કારણે રિવોલ્વર અથવા અન્ય કોઈ સાધનોથી આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું છે. કેમ સરકાર આ બાબતે ગભીરતા નથી લેતી. કેમ વારંવાર સરકારી અધિકારીઓ આ આર્થીક તંગીનું ભોગ બને છે. સરકારી અધિકારીની આત્મહત્યાનો આ કોઈ પહેલો બનાવ નથી આના પેહલા પણ ઘણા અધિકારીઓએ જીવન ટુકાવ્યું છે. જયારે આજે સરકારી અધિકારી જ આ રીતે હેરાન પરેશાન છે તો આમ જનતા નું શું…? આ એક મોટો સવાલ છે જેના ઉપર સરકારે અને પોલીસ ખાતાના અધિકારીઓએ વિચારવું જોઈએ. આજે મધ્યપ્રદેશમાં જે રીતે પોલીસના કર્મચારીઓને કામ કરવાનો ફ્રીડમ મળ્યું છે જેનાથી આ પોલીસ કર્મી પોતાના પરિવાર સાથે સમય કાઢી માનસિક ત્રાસથી બહાર આવશે અને આવી ઘટનાઓના આંકડાઓ ઓછા જોવા મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“ઇટ્સ હેપન ઓન્લી ઇન ઇન્ડિયા” ટ્રમ્પને કોણે અને કેમ બોલાવ્યા ખબર નથી..!
Next articleઆખરે લેવાયો નિર્ણયઃટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેશે