Home ગુજરાત ઉત્તર ગુજરાત અવસર લોકશાહીનો : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી...

અવસર લોકશાહીનો : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની ઉસ્થિતિમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

116
0

*             “દશ મિનિટ દેશ માટે”ના સ્લોગન સાથે યુવા વિદ્યાર્થીઓને મતદાન પ્રત્યે જાગૃત થઈ મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અનુરોધ કરતાં રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતી

*             લોકશાહીના અવસરને વધાવવા વિદ્યાર્થીઓને મતદાન કરવા પ્રતિજ્ઞા લેવડાવાઈ

(જી.એન.એસ),તા.૦૨

ગાંધીનગર,

ગુજરાતમાં વધુ ને વધુ યુવા વિદ્યાર્થીઓ મતદાન પ્રત્યે જાગૃત થાય અને પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે તે હેતુથી વિવિધ યુનિવર્સિટી, કેમ્પસ અને કોલેજમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

મતદાન જાગૃતિ કાર્યક્રમમાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી પી. ભારતીએ વિદ્યાર્થીઓને એક વોટનું મહત્વ કેટલું છે અને દેશનો દરેક મતદાતા મહત્વનો છે તે અંગે જણાવી વિદ્યાર્થીઓના મતદાન અંગેના પ્રશ્નોનું સમાધાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મતદાન અંગેના હક, મતદાન કરવું કેમ જરૂરી છે, દેશમાં લોકશાહીનું અને લોકશાહી દેશમાં મતદાનના મહત્વ જેવા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં “દશ મિનિટ દેશ માટે”ના સ્લોગન સાથે દરેક નાગરિકે મતદાનના દિવસે દશ મિનિટ મતદાન માટે ફાળવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં એથીકલ વોટીંગ અને હું ભારત છું વિડીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. વિશ્વના સૌથી મોટા લોકશાહી અને યુવા દેશમાં લોકશાહીના અવસરને વધાવવા માટે વિદ્યાર્થીઓને મતદાન કરવા પ્રતિજ્ઞા લેવડામાં આવી હતી.

આ ઉપરાંત કાર્યક્રમમાં સંયુક્ત નિર્વાચન અધિકારી શ્રી પી. ડી. પલસાણા, ગાંધીનદર કલેક્ટર શ્રી એમ. કે. દવે, નોડલ ઓફિસર શ્રી યોગેશ પારેખ તથા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field