Home ગુજરાત અમદાવાદમાં રનવે ને અડી ફરી ઉડ્યું પ્લેન

અમદાવાદમાં રનવે ને અડી ફરી ઉડ્યું પ્લેન

56
0

ઉતરવાની તૈયારી કરી રહેલા મુસાફરો ટેકઓફને લઈને ગભરાઈ ગયા

(GNS),24

ચંદીગઢથી અમદાવાદ જતા મુસાફરો માટે સોમવારનો દિવસ ખૂબ જ ડરામણો હતો. ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી એ રનવેને અડીને ફરી ઉડાન ભરવા લાગી હતી. ઉતરવાની તૈયારી કરી રહેલા મુસાફરો ટેકઓફને લઈને ગભરાઈ ગયા હતા.

ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં ચંદીગઢથી અમદાવાદ જઈ રહેલા મુસાફરો માટે સોમવારની રાત ભયાનક હતી. થોડીવાર માટે તેના ધબકારા વધી ગયા, તેમને લાગ્યું કે કદાચ આ તેમની છેલ્લી યાત્રા છે, લોકો નર્વસ થઈ ગયા હતા, પરંતુ થોડીવાર પછી તેને સુરક્ષિત રીતે એરપોર્ટ પર ઉતારી દેવામાં આવ્યા હતા. આ ઘટના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઘટી હતી. જ્યાં મુસાફરો 9.15 વાગ્યે એરપોર્ટ પર ઉતરવાનું હતું.

ફ્લાઈટ લેન્ડ થઈ અને અચાનક પ્લેને રનવે પરથી ફરીથી ઉડાન ભરી હતી. આ તે ક્ષણ હતી જ્યારે મુસાફરો ગભરાઈ ગયા હતા. આ સીન પણ ફિલ્મી સીન જેવો હતો. મુસાફરોએ Tweet કરીને આ ઘટનાની ફરિયાદ કરી હતી. આ સિવાય એક મુસાફરે મેઈલ કરીને આ મામલે તપાસની માંગ કરી છે. ઘટના સમયે ફ્લાઈટમાં 100 મુસાફરો સવાર હતા. ફ્લાઈટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ ત્યાં સુધી દરેકના જીવ અટવાયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપંજાબના અમૃતસર જિલ્લામાં ગેંગસ્ટર જરનૈલ સિંહની ગોળી મારીને હત્યા
Next articleમારી સરકારને પાંચ વર્ષ થઈ ગયા ત્યારે કઈ યાદ ના આવ્યું : વિજય રૂપાણી