Home ગુજરાત અમદાવાદમાં ગરમીથી બચવા કેનાલમાં ન્હાવા પડેલા ત્રણ કિશોર તણાયા

અમદાવાદમાં ગરમીથી બચવા કેનાલમાં ન્હાવા પડેલા ત્રણ કિશોર તણાયા

355
0

(જી.એન.એસ),તા.૭
ગરમી વધે ત્યારે લોકો ગરમીથી બચવા માટે કોઇના કોઇ નુસખાઓ અપનાવતા રહેતા હોય છે. ક્યારેક લોકો નજીક આવેલા જળસ્ત્રોતોમાં ન્હાવા પડતા હોય છે. આવી સ્થિતિમાં ક્યારેક દુઃખદ ઘટનાઓ પણ ઘટતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના પૂર્વ વિસ્તાર બની છે. જેમાં ગરમીથી બચવા માટે કેનાલમાં ન્હાવા પડેલા ત્રણ કિશોર તણાયા છે.
મળતી માહિતી પ્રમાણે મણિનગરની દક્ષિણી સોસાયટી પાસેથી પસાર થતી ખારીકટ કેનાલમાં ન્હાવા પડ્યા હતા. જોકે પાણીના પ્રવાહના કારણે ત્રણે કિશોરો તણાઈ ગયા હતા. જોકે, બુમાબુમ થવાના કારણે સ્થાનિક લોકોને જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને કિશોરોની તપાસ હાથધરી હતી. સ્થાનિક સુત્રોનું કહેવું છે કે, ગરમીથી બચવા માટે આ કિશોરો કેનાલમાં ન્હાવા પડ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતઃ કારમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કારખાનેદારની નિર્મમ હત્યા
Next articleગુજરાત હાઇકોર્ટમાંથી બનાવટી દસ્તાવેજોના આધારે જામીન લેવાનું કૌભાંડ ઝડપાયું