(GNS),07
રાજકોટની મારવાડી બાદ હવે ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાના છોડ મામલે FSLનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમા મળી આવેલા છોડ ગાંજાના જ હતા તે પુરવાર થયુ છે. ત્યારે વધુ એક શિક્ષાના ધામમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. હાલ તો આ ગાંજાનો છોડ અહીં કોણ લાવ્યુ અને કોણે વાવ્યો તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં ડી બ્લોક પાસે ગાંજાના બે છોડ જોવા મળ્યા છે NSUIના કાર્યકરો દ્નારા આ ગાંજાના છોડ પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે યુનિવર્સિટીમાં ગાંજાના છોડ આવ્યા કેવી રીતે? શું યુવાનોને નશાના રવાડે ચડાવવાનું કાવતરુ રચાઈ રહ્યુ છે ? તે પણ આશંકા સેવાઈ રહી છે. ગાંજાના છોડ મળ્યા બાદ યુનિવર્સિટીના સમગ્ર કેમ્પસમાં તપાસ હાથ ધરાઈ છે. યુનિવર્સિટીમાં માત્ર આ બે જ છોડ છે કે અન્ય કોઈ જગ્યાએ પણ આ પ્રકારે ગાંજાની ખેતી થતી હતી કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. NSUI દ્વારા સમગ્ર આ ગાંજાના છોડ પકડી પાડ્યા બાદ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ સહિતના અહીં પહોંચ્યા હતા. યુનિવર્સિટીમાં આવેલી વિદ્યાર્થીઓની હોસ્ટેલની તદ્દન બાજુમાંથી જ આ સાતેક ફુટ લાંબો ગાંજાનો છોડ મળી આવ્યો છે. આ છોડને ઉછેરવા માટે તેને પાણી અને છાશ પિયત તરીકે અપાતી હતી તેવો પણ NSUIનો આક્ષેપ છે. એક તરફ રાજ્યમાં માદક નશીલા પદાર્થોની હેરાફેરી અટકે તેના માટે વિવિધ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તો સતત બીજીવાર શિક્ષણના ધામમાં ગાંજો મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.