જલાલપોરના અબ્રામા ગામે રહેતા 25 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણસર તેમના ઘરની સામે આવેલ વીજપોલ ઉપર સાડી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. રાત્રિના સમયે યુવાને ફાંસો ખાઈ લેતા ગામમાં ચકચાર મચી ગઇ હતી. જલાલપોર તાલુકાના મંદિર ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડો.તેજસ પટેલે પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે અબ્રામા ગામના ચોરમલા ફળિયાના વિજય દિનેશભાઈ હળપતિ (ઉ.વ. 25)એ કોઈ અગમ્ય કારણસર ઘરની સામે આવેલ વીજપોલ ઉપર સાડી વડે ફાંસો ખાઈ લીધો હતો.
જોકે આ ઘટનાની જાણ મૃતકના ભાઈ નેહલભાઈ હળપતિ સારવાર માટે મંદિર ગામે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જતા તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસમાં જાણ કરતા એએસઆઈ રાજેન્દ્ર સિંહ લીલાભાઈ અને સ્ટાફ ઘટનાસ્થળે આવીને તપાસ કરી હતી.
હાલ પોલીસે કોઈ અગમ્ય કારણસર આપઘાત કર્યાની નોંધ મૂકી જલાલપોર પોલીસ આગળની તપાસ કરી રહ્યાં છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.