Home મનોરંજન અનુરાગ કશ્યપે મનમર્ઝિયાં રીલીઝ કરવા અંગે કરી જાહેરાત

અનુરાગ કશ્યપે મનમર્ઝિયાં રીલીઝ કરવા અંગે કરી જાહેરાત

728
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.08
ટોચના ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપે કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ મનમર્ઝિયાં આ વર્ષના ફેબુ્રઆરીમાં ફ્લોર પર જશે. હાલ અને મારી અન્ય ફિલ્મ મુક્કાબાજ રજૂ કરવાની તૈયારીમાં બીઝી છીએ. મનમર્ઝિયાં આનંદ એલ રાયની ફિલ્મ છે. હાલ આનંદ એલ રાય બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરુખ ખાનને લઇને ઝીરો ફિલ્મ બનાવી રહ્યા છે. આનંદ એલ રાય મનમર્ઝિયાંના પ્રોડયુસર છે. અનુરાગે કહ્યંુ કે હાલ અમે મુક્કાબાજના પ્રમોશનમાં બીઝી છીએ. એકવાર એ કામ પતી જાય એટલે ૧૫મી જાન્યુઆરીથી હું મનમર્ઝિયાંની પૂર્વતૈયારીમાં લાગી જવાનો છું. મનમર્ઝિયાંમાં અભિષેક બચ્ચન ચમકવાનો હોવાના મિડિયા રિપોર્ટ અંગે બોલતાં એણે કહ્યું કે આ રિપોર્ટ સાચા નથી. બધી વિગતો અમે ૧૩ જાન્યુઆરીની મિડિયા મીટમાં રજૂ કરવાના છીએ. ત્યાં સુધી તમારે ધીરજ રાખવી જોઇએ. અગાઉ અનુરાગ દેવ ડી, ગેંગ્સ ઑફ વાસેપુર અને અગ્લી જેવી હિટ ફિલ્મો આપી ચૂક્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયોગીએ ટ્વીટ કરીને કર્ણાટકમાં થઇ રહેલી ખેડૂતોની મોત પર પ્રહાર કર્યો
Next articleવડોદરામાં 60 વર્ષીય વૃદ્ધાનું ઠંડીના કારણે મોત