Home ગુજરાત અનલોક ગુજરાતમાં કોરોના બન્યો વિકરાળઃ સતત બીજા દિવસે 800થી વધુ કેસ,14ના મોત

અનલોક ગુજરાતમાં કોરોના બન્યો વિકરાળઃ સતત બીજા દિવસે 800થી વધુ કેસ,14ના મોત

197
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.10

અનલોકનાં તબક્કામાં ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ છે. રાજ્યમાં હવે રોજનાં કોરોના કેસ નોંધાવવાનો આંક 800ને પાર થઈ ગયો છે. સતત બીજા દિવસે રાજ્યમાં 800ને પાર નવા કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધારે 875 કેસો નોંધાયા છે, જ્યારે 14 લોકોનાં મોત નિપજ્યા છે અને 441 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ રાજ્યમાં કોરોનાનાં કેસોનો કુલ આંક 40,155 પાર પહોંચ્યો છે. અને મોતનો કુલ આંક 2024 તો ડિસ્ચાર્જનો કુલ આંક 28183 પર પહોંચ્યો છે.

અનલોકનાં તબક્કામાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. પણ સુરત બાદ હવે રાજકોટ સહિતનાં અન્ય જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. આજના નોંધાયેલ નવા કેસોની વિગત જોઈએ તો સુરત કોર્પોરેશન ૨૦૨, અમદાવાદ કોર્પોરેશન ૧૫૩, સુરત ૬૭, વડોદરા કોર્પોરેશન ૬૧, ભાવનગર કોર્પોરેશન ૫૯, નવસારી ૨૭, રાજકોટ કોર્પોરેશન ૨૪, સુરેન્દ્રનગર ૨૩, ગાંધીનગર ૨૧, મહેસાણા ૨૧, ખેડા ૧૭, જામનગર કોર્પોરેશન ૧૫, રાજકોટ ૧૫, બનાસકાંઠા ૧૪, ભરૂચ ૧૪, જુનાગઢ કોર્પોરેશન ૧૩, અમદાવાદ ૧૨, ભાવનગર ૧૨, ગીર સોમનાથ ૧૧, ગાંધીનગર કોર્પોરેશન ૧૦, દાહોદ ૮, જામનગર ૮, સાબરકાંઠા ૮, વડોદરા ૮, આણંદ ૭, પંચમહાલ ૭, જુનાગઢ ૫, મોરબી ૫, વલસાડ ૫, છોટા ઉદેપુર ૪, કચ્છ ૪, પાટણ ૪, અમરેલી ૩, તાપી ૩, અરવલ્લી ૨, બોટાદ ૨, પોરબંદર ૧ કેસ નોંધાયો હતો.

સતત નવા નોંધાતા કેસોને કારણે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આવતીકાલે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યાનો આંક 10 હજારને પાર પહોંચી જશે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ૯૯૪૮ છે, જેમાં ૬૮ દર્દીઓની હાલત ગંભીર છે અને ૯૮૮૦ દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન ૫, સુરત  કોર્પોરેશન ૩, અરવલ્લી ૧, ગાંધીનગર ૧, જામનગર ૧, જુનાગઢ કોર્પોરેશન ૧, મહેસાણા ૧, સુરત ૧ દર્દીનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે.

 

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરની સ્વામીનારાયણ સ્કૂલે વાલીઓને ફોન કર્યા- ફી ભરો નહીંતર…
Next articleગુજરાતમાં કોરોના અનસ્ટોપેબલ: 872 કેસ,10ના મોત