Home ગુજરાત અંબાણી-અદાણી ને એક્ઝીટ પોલ પર ભરોસો….નહિ….કે.., નહિ…..કે..?

અંબાણી-અદાણી ને એક્ઝીટ પોલ પર ભરોસો….નહિ….કે.., નહિ…..કે..?

620
0

(જી.એન.એસ. હર્ષદ કામદાર) તા.22
થોડા સમય પહેલા અનિલ અંબાણી ની કંપની રિલાયન્સ ડિફેન્સ દ્વારા કોંગ્રસ ના નેતાઓ સામે રાફેલ ના મામલે 5 હાજર કરોડ નો દાવો અમદાવાદ ની કોર્ટ માં કરવામાં આવ્યો હતો. એજ રીતે ગૌતમ અદાણી ની કંપની એ પણ ઘી વાયર પોર્ટલ સામે બદનક્ષી ની ફરિયાદ કરી હતી પરંતુ એક્ઝીટ પોલ બાદ એકા એક રહસ્યમય રીતે અદાણી અંબાણી એ બદનક્ષી ના આ દાવા પાછા ખેંચી લેવાની સત્તા વાર જાહેરાત ના પગલે એવા સવાલો થઇ રહ્યા છે કે શું અદાણી-અંબાણી ને એક્ઝીટ પોલ પર ભરોશો નઈ કે..?
વિગત એવી છે કે રાફેલ વિમાન સૌદા ના મામલે અનિલ અંબાણી એ કોંગ્રસ ના નેતા રણદીપ સુરજેવાલા સહીત અન્ય સામે બદનક્ષી નો 5 હાજર કરોડ નો દાવો માંડ્યો હતો તો ગૌતમ અદાણી એ ન્યુઝ પોર્ટલ ઘી વાયર સામે પણ એક સમાચાર ના મામલે બદનક્ષીની ફરિયાદ કરી હતી. અદાણી એ કરેલી ફરિયાદ ના કેસમાં સામ વાળા સામે આરોપનામું પણ ઘડાઈ ગયું હતું.
લોકસભા ચૂંટણી પુરી થયા બાદ એક્ઝીટ પોલ માં મોદી ની સરકાર ફરીથી બની રહી છે। મોદી સરકાર સાથે અદાણી અને અંબાણી ને સારા સબંધો છે। એથી જો મોદી ની સરકાર બનવાની હોય તો બદનક્ષી નો કેસ ચાલુ રાખવામાં અદાણી-અંબાણી ને કોઈ નુકશાન નથી પરંતુ તેના એકાએક કોંગ્રસ નેતાઓ સામેના કેસો પાછા ખેંચવાની જાહેરાત શું એ વાત નો ઈશારો છે કે એક્ઝીટ પોલ ખોટા છે..? અને શું કોંગ્રસ ની સરકાર બની રહી છે તેથી ડરી જઈને અંબાણી એ કેસો પાછા ખેંચ્યા છે…? આ મામલે રાજકારણ માં ચર્ચા નો વિષય બન્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપીએસઆઈ આપઘાત કેસઃ ‘રૂપાણી રાજ’માં મહિલાએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી
Next articleએક્ઝીટ પોલ સાચા પડે કે ખોટા, પણ દેશમાં રાજકીય વમળો પેદા થવાના અણસાર છે