Home અન્ય રાજ્ય હેલિકોપ્ટરમાં બેસીને કર્યા રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યા વડાપ્રધાન મોદીએ

હેલિકોપ્ટરમાં બેસીને કર્યા રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યા વડાપ્રધાન મોદીએ

17
0

(જી.એન.એસ) તા. ૧૭

આસામ,

રામનવમી નિમિત્તે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. આ એક અદ્ભુત ક્ષણ હતી. સમગ્ર મંદિર પરિસર રામનામથી ગુંજી રહ્યુ હતું.  આ ક્ષણના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાક્ષી બન્યા હતા. તેમણે આ અદ્ભુત ક્ષણનો વીડિયો ટેબલેટ દ્વારા જોયો હતો. તેમજ આ વીડિયો જોઈને તેઓ શ્રદ્ધા સાથે ભાવુક દેખાયા હતા.
 વડાપ્રધાન મોદી એ સોસિયલ મીડિયા માં શેર કર્યું હતું કે- નલબારી સભા પછી મને અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલકની અદ્ભુત અને અનોખી ક્ષણ જોવાનો લહાવો મળ્યો. શ્રી રામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક માટે આનંદની ક્ષણ છે. આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દૈવી ઉર્જાથી આ રીતે પ્રકાશિત કરશે.
રામ મંદિરમાં રામલલાનું સૂર્ય તિલક જોતા પહેલા હેલિકોપ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પગરખા ઉતાર્યા અને સંપૂર્ણ આદર સાથે સૂર્ય તિલકના અદ્ભુત ક્ષણના સાક્ષી બન્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભગવાન રામને હૃદય પર હાથ રાખીને અને માથું નમાવીને નમન કરતા જોવા મળ્યા હતા.

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરામ નવમીના પાવન અવસરે અયોધ્યામાં રામલલાનું થયું સૂર્ય તિલક
Next articleગાંધીનગરના લાકરોડા ગામે દર્શનયોગ ધામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સમર્પણ ભવનનું લોકાર્પણ અને વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ