Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સેંગોલને એક વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યુ હતુ : હરદીપ સિંહ...

સેંગોલને એક વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યુ હતુ : હરદીપ સિંહ પુરી

57
0

(GNS),27

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન. આ દરમિયાન સેંગોલને સ્પીકરની ખુરશી પાસે રાખવામાં આવશે. પહેલા ઉદ્ઘાટનને લઈને તો હવે સેંગોલને લઈને વિપક્ષે હંગામો મચાવ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે સરકારે સેંગોલ વિશે ખોટા તથ્યો રજૂ કર્યા છે, જેના વિશે આટલી ચર્ચા થઈ રહી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે દાવો કર્યો છે કે સેંગોલની ઐતિહાસિકતાના ઈતિહાસમાં કોઈ પુરાવા નથી. જયરામ રમેશના આ દાવા અંગે હવે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ એક પછી એક અનેક ટ્વિટ કર્યા છે.

હરદીપ સિંહ પુરીએ દાવો કર્યો છે કે વર્ષ 1947માં અમેરિકાના ટાઈમ મેગેઝીનમાં એક લેખ છપાયો હતો અને જે લોકો નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યા છે તેઓએ આ લેખ વાંચવો જોઈએ અને માહિતી મેળવવી જોઈએ કે ‘સેંગોલ’ શેનું પ્રતીક છે. છેવટે, વર્ષ 1947 માં શું થયું હતું.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આઝાદી પહેલા તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ હિંદુ રીતિ-રિવાજો મુજબ સેંગોલનું સ્વાગત કર્યું હતું. હવે આ લોકો આ સેંગોલનું અપમાન કરી રહ્યા છે. દંભ પૂરજોશમાં છે. સેંગોલને અલગ-અલગ રંગોમાં રંગવાના પ્રયાસો થઈ રહ્યા છે અને મગરના આંસુ વહાવી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આ લેખ એવા લોકોએ વાંચવો જોઈએ જેઓ એવું વિચારે છે કે પીએમ મોદીને બદલે તેમણે સંસદની નવી ઇમારત બનાવી છે. ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિત્તે લોકશાહીના મંદિરનો બહિષ્કાર કરવાનું બંધ કરો.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ લેખને ટાંકીને દાવો કર્યો હતો કે 1947માં આઝાદીની પૂર્વ સંધ્યાએ હવન કરવામાં આવ્યો હતો અને રેશમ અને સોનાથી બનેલા પીતામ્બરમને પીએમની આસપાસ વીંટાળવામાં આવ્યા હતા. આ દરમિયાન સેંગોલને વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજમ્મુકાશ્મીરના કિશ્તવાડમાં ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતા 3 લોકોના મોત
Next articleઅમેરિકન સમિતિએ નાટો પ્લસમાં ભારતના સમાવેશની વાત કરી