Home દેશ - NATIONAL લદ્દાખના કારગિલ અને લેહના રસ્તાઓ પર એકઠા થયેલા લોકોએ રાજ્યનો દરજ્જો આપવાની...

લદ્દાખના કારગિલ અને લેહના રસ્તાઓ પર એકઠા થયેલા લોકોએ રાજ્યનો દરજ્જો આપવાની માંગ ઉઠાવી

17
0

લોકો રસ્તા પર પ્રદર્શન કરવા ઉતરેલા આંદોલનકારી સંગઠનોએ મુખ્ય ચાર માંગણીઓ કરી

(જી.એન.એસ),તા.૦૪

લદ્દાખમાં લોહી થીજવતી ઠંડી વચ્ચે જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શન કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી રાજ્યનો દરજ્જો અને બંધારણીય રક્ષણની માંગ કરવા માટે કરવામાં આવ્યું હતું. શનિવારે લદ્દાખ બંધ રહેશે. કારગિલ અને લેહના રસ્તાઓ પર લોકો એકઠા થયા. આ પ્રદર્શનની જાહેરાત આ સપ્તાહની શરૂઆતમાં કરવામાં આવી હતી. કેન્દ્રએ શુક્રવારે આ વિસ્તારના લોકોની માંગણીઓ પર ગૃહ મંત્રાલય દ્વારા રચાયેલી ઉચ્ચ-સત્તાવાળી સમિતિની બેઠકના બીજા રાઉન્ડની જાહેરાત કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો અને તેને જમ્મુ અને કાશ્મીરથી અલગ કરવામાં આવ્યો. બે સામાજિક-રાજકીય સંગઠનોએ આંદોલનનું નેતૃત્વ કર્યું છે. તેમાં એપેક્સ બોડી લેહ (ABL) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA)નો સમાવેશ થાય છે.  

આ સંગઠનોની ચાર મુખ્ય માંગણીઓ છે, જેમાં લદ્દાખને રાજ્યનો દરજ્જો, બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ સુરક્ષા પગલાં, યુવાનો માટે નોકરીઓમાં અનામત અને લેહ-કારગિલ માટે અલગ સંસદીય મતવિસ્તારની રચનાનો સમાવેશ થાય છે. 4 ડિસેમ્બરે યોજાયેલી પ્રથમ રાઉન્ડની વાટાઘાટોમાં, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયની આગેવાની હેઠળની સમિતિએ તેની ભૌગોલિક સ્થિતિ અને વ્યૂહાત્મક મહત્વને ધ્યાનમાં રાખ્યું હતું. તેમજ લદ્દાખની “અનોખી સંસ્કૃતિ અને ભાષા”ના રક્ષણ માટેના પગલાં, લદ્દાખના લોકો માટે જમીન અને રોજગારની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. 19 ફેબ્રુઆરીએ ગૃહ મંત્રાલયમાં બીજા તબક્કાની વાતચીત થવા જઈ રહી છે. 15 સભ્યોની સમિતિમાં સરકારના આઠ સભ્યોનો સમાવેશ થાય છે. તેમાં લેફ્ટનન્ટ ગવર્નર, બ્રિગેડિયર બીડી મિશ્રા (નિવૃત્ત), લદ્દાખ (ભાજપ)ના સાંસદ જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલ, કારગિલ અને લેહ બંનેની સ્વાયત્ત હિલ વિકાસ પરિષદના અધ્યક્ષ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓનો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીના સીએમ બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે મંત્રી આતિષીને નોટિસ પાઠવી
Next articleલાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’ની જાહેરાત પર ઓવૈસી કહ્યું,”એવોર્ડનું અપમાન છે”