Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્લી એરપોર્ટ પર ગુજરાતના મુસાફરો અટવાયા, બપોર સુધી અટવાઈ રહેતા રોષે ભરાયા

દિલ્લી એરપોર્ટ પર ગુજરાતના મુસાફરો અટવાયા, બપોર સુધી અટવાઈ રહેતા રોષે ભરાયા

33
0

લંડનથી ગુજરાત આવી રહેલા 700 જેટલા મુસાફરોને ક્નેક્ટીંગ ફ્લાઈટની સમસ્યા હોવાને લઈ પરેશાની સર્જાઈ

(જી.એન.એસ),તા.૧૫

લંડનથી આવેલા ગુજરાતી 700 મુસાફરો અટવાઈ રહ્યા છે. મુસાફરો મોડી રાત્રી દરમિયાન દિલ્લી એરપોર્ટ પર ઉતર્યા હતા. જ્યાં ઉતર્યા બાદ તેઓને ક્નેક્ટીંગ ફ્લાઈટને લઈ સમસ્યા સર્જાઈ હતી. જ્યાં મુસાફરો બપોર સુધી અટવાઈ રહેતા રોષે ભરાયા હતા અને હોબાળો એરપોર્ટ પર મચાવી દીધો હતો. મુસાફરો કોઈ જ સુવિધાઓ વિના એરપોર્ટ પર રઝળવા જેવી સ્થિતિમાં મુકાયા હતા. એર ઈન્ડિયાની ફ્લાઈટ મારફતે રાત્રીના ત્રણ વાગે મુસાફરો દિલ્લી એરપોર્ટ પર ઉતર્યા હતા. જ્યાં ઉતર્યા બાદ યાત્રીઓને બીજા દિવસ બપોર સુધી અન્ય કોઈ ફ્લાઈટમાં ગુજરાત નહીં પહોંચડવામાં આવતા રોષ ફેલાયો હતો. તો વળી એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ મામલે ખરાબ હવામાન હોવાની વાત મુસાફરો સમક્ષ ધરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅયોધ્યામાં 14 રંગના 14 લાખ દીવડાઓ પ્રભુ રામની આકૃતિ તૈયાર કરાઈ
Next articleફ્લાઈટમાં ‘રામ ભજન’ ગાઈ રહ્યા છે લોકો, કેન્દ્રીય મંત્રીએ શેર કર્યો ફ્લાઈટનો વિડીયો