Home દેશ - NATIONAL જયરામ રમેશની ટિપ્પણી કોંગ્રેસની વિચારસરણી દર્શાવે છે : સુધાંશુ ત્રિવેદી

જયરામ રમેશની ટિપ્પણી કોંગ્રેસની વિચારસરણી દર્શાવે છે : સુધાંશુ ત્રિવેદી

28
0

(GNS),20

ગીતા પ્રેસ ગોરખપુરને વર્ષ 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવા અંગે જયરામ રમેશના નિવેદન પર કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે. હવે ભાજપના નેતા અને રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદીએ આ મુદ્દે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જયરામ રમેશની ટિપ્પણી કોંગ્રેસની વિચારસરણી દર્શાવે છે. કોંગ્રેસનું હિન્દુ વિરોધી અને સંસ્કૃતિ વિરોધી વલણ કોઈનાથી છુપાયેલું નથી, તે સ્વાભાવિક છે. રાજ્યસભા સાંસદે વધુમાં કહ્યું કે, જ્યારે પીએમ મોદી પહેલીવાર અમેરિકા ગયા હતા અને તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ગીતા આપી હતી, ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ પોતાની છાતી કૂટી હતી. તેમના નેતાઓમાં વાંચનનો ટ્રેન્ડ ખતમ થઈ ગયો છે. ગાંધીજીએ ગીતાપ્રેસને પત્ર લખીને જાહેરાતો કે દાન ન લેવા જણાવ્યું હતું, જેનું ગીતાપ્રેસ આજ સુધી પાલન કરે છે.

ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત થતાં જ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરીને પાર્ટી માટે નવો વિવાદ ઉભો કર્યો છે. તેમણે કહ્યું કે ગાંધી શાંતિ પુરસ્કાર આપવાનો નિર્ણય વાસ્તવમાં ઉપહાસ છે. તે સાવરકર અને ગોડસેને એવોર્ડ આપવા જેવું છે. બીજી તરફ આ સમગ્ર મુદ્દે ગીતા પ્રેસના સંસ્થાપકના પરિવારજનોએ કહ્યું કે રાજકારણને સંસ્કૃતિથી અલગ રાખવું જોઈએ. ગીતા પ્રેસ નહીં નફા નહીં નુકશાન પર કામ કરે છે. આવી સ્થિતિમાં આના પર રાજકારણ કરવું ખોટું અને નિંદનીય છે. આ એવોર્ડ શાંતિ માટે આપવામાં આવ્યો છે અને આ એવોર્ડ ગાંધીજીના નામ પર રાખવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તેમાં રાજકારણ ન આવવું જોઈએ. ગીતા પ્રેસ 100 વર્ષ પહેલાં એવોર્ડ મેળવવા માટે શરૂ કરવામાં આવ્યું ન હતું, તેનો હેતુ આ વાતને વધુ લોકો સુધી પહોંચાડવાનો, સનાતન ધર્મનો ફેલાવો કરવાનો હતો. જો ગીતા પ્રેસે કામ ન કર્યું હોત તો ઘણા લોકોને સનાતન ધર્મની ખબર પણ ન પડી હોત. આજના સમયમાં એવું કોઈ ઘર નહીં હોય, જ્યાં ભગવત ગીતા ન હોય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleUNSCમાં ભારતને કાયમી સભ્યપદ આપવું જોઈએ : વડાપ્રધાન મોદી
Next articleરાજસ્થાનમાં બિપરજોય વાવાઝોડાથી જનજીવન પ્રભાવિત થયું