Home દેશ - NATIONAL જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું હેલીકોપ્ટર ચિનાબ નદીમાં ક્રેશ થયું, 3 જવાનો હતા...

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું હેલીકોપ્ટર ચિનાબ નદીમાં ક્રેશ થયું, 3 જવાનો હતા સવાર

45
0

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ગુરુવારે સેનાનું હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. અહીં મારવાહ વિસ્તારમાં આ ક્રેશ થયું છે. આર્મીના જનસંપર્ક અધિકારીએ એક સમાચાર એજન્સી સાથે વાત કરતા હેલીકોપ્ટરમાં સેનાના 3 જવાનો હોવાની વાત કહી હતી. તેમની હાલત જોઈને હાલમાં પુષ્ટિ નથી કરી શક્યા. ખરાબ હવામાનના કારણે આ વિસ્તારમાં સંપર્ક સેવાઓ કામ કરતી નથી. કહેવાય છે કે, જ્યાં આ હેલીકોપ્ટર ક્રેશ થયું છે, તે કિશ્તવાડનો ખૂબ જ અંતરિયાળ વિસ્તાર છે. અહીં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે. સેનાના ત્રણ અધિકારી હેલીકોપ્ટરમાં હતા.

કહેવાય છે આ હેલીકોપ્ટર ક્રેશ થયું છે. જો કે, હાલમાં સેના દ્વારા તેની તપાસ ચાલી રહી છે. તેના માટે રેસ્ક્યૂ ટીમને રવાના કરી દીધી છે. જો કે, હાલમાં આ અધિકારીઓને કોઈ સંપર્ક થયો નથી. ભારતીય સેના તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, સેનાનું ALH ધ્રુવ હેલીકોપ્ટર કિશ્તવાડ જિલ્લામાં ક્રેશ થયું છે, જે ચિનાબ નદીમાં જઈને પડ્યું છે. કહેવાય છે કે, આ હેલીકોપ્ટરમાં બે પાયલટ અને એક કમાંડિંગ ઓફિસર સવાર હતા. સારી વાત એ છે કે, આ દુર્ઘટનામાં કમાંડિંગ ઓફિસર એકદમ સુરક્ષિત છે. જ્યારે પાયલટને હળવી ઈજા થઈ છે. જેમને સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે.

Previous articleસાત્વિક-ચિરાગની જોડીએ દુબઈમાં રચ્યો ઈતિહાસ, ભારતને મેન્સ ડબલ્સ ગોલ્ડ મેડલ અપાવ્યો
Next articleસર્બિયામાં બેલગ્રેડની સ્કૂલમાં સગીર વિદ્યાર્થીએ કર્યો ગોળીબાર, 8 બાળકો સહિત 1 ગાર્ડનું મોત