Home દેશ - NATIONAL કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી, મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં રામમંદિર...

કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી, મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં રામમંદિર વિષે કોઈ ખોટી માહિતી ફેલાવવી નહિ

17
0

(જી.એન.એસ),તા.૨૧

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામમંદિર કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. એક ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, આ સંદર્ભમાં, કેન્દ્ર સરકારે એક એડવાઈઝરી જાહેર કરીને મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રામ મંદિર કાર્યક્રમ સાથે જોડાયેલા ખોટા અને છેડછાડવાળા સમાચાર પ્રકાશિત કરવાથી બચવા કહ્યું છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, એવું જોવામાં આવ્યું છે કે કેટલાક ખોટા, ભડકાઉ અને નકલી મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, જે સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે. અયોધ્યામાં રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ 22 જાન્યુઆરીએ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ઘણા લોકો હાજરી આપશે. ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સાથે રામ મંદિરનું ઉદ્ઘાટન થશે.

રામ મંદિર સમારોહ પહેલા VIP ટિકિટ, રામ મંદિર પ્રસાદ આપવાનો દાવો કરતી ઘણી નકલી લિંક્સ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. શુક્રવાર અને 19 જાન્યુઆરીના રોજ ઈ-કોમર્સ સાઈટ એમેઝોનને અયોધ્યા રામમંદિર પ્રસાદની યાદી હટાવવા માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેના પર એમેઝોને કહ્યું કે તે તેની નીતિઓ અનુસાર આવા લિસ્ટિંગ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક ખાનગી ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, એમેઝોને સ્વીકાર્યું કે તેને કેટલાક વિક્રેતાઓના ભ્રામક પ્રોડક્ટના દાવા અંગે CCPA તરફથી નોટિસ મળી છે અને કંપની તેમની તપાસ કરી રહી છે. આના થોડા દિવસો પહેલા, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે તાત્કાલિક વીઆઇપી ટિકિટનો દાવો કરતો નકલી QR કોડ સાથેનો એક WhatsApp મેસેજ વાયરલ થયો હતો. જે બાદ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા કરી હતી કે ટ્રસ્ટે પોતે જ પસંદ કરેલા મહેમાનોને અભિષેક કાર્યક્રમમાં આમંત્રણ મોકલ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅયોધ્યા રામ મંદિર નિર્માણ સ્થળની 2000 ફુટ નીચે ટાઈમ કેપસ્યુલને દફનાવવામાં આવશે
Next articleભારતીય હેલિકોપ્ટરને મંજૂરી ન અપાતા બાળકનું મોત, માલદીવના રાષ્ટ્રપતિના નિર્ણય પર સવાલો ઉઠ્યા