Home દેશ - NATIONAL કાશ્મીરમાં 15 દિવસમાં સેનાના 10 જવાનો શહીદ, આતંકવાદીઓના નિશાને હવે જમ્મુ

કાશ્મીરમાં 15 દિવસમાં સેનાના 10 જવાનો શહીદ, આતંકવાદીઓના નિશાને હવે જમ્મુ

47
0

કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ ઘટાડીને આતંકવાદી સંગઠનોએ હવે જમ્મુ ક્ષેત્રમાં હુમલા કરવાનું શરૂ કર્યું છે. આમાં રાજૌરી અને પૂંચ જિલ્લા (RP) રેન્જ આતંકવાદીઓની ટોચની યાદીમાં સામેલ છે. આ બે જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં સેનાના 10 બહાદુર જવાનો શહીદ થયા છે. બંને સ્થળો પર આતંકવાદીઓએ સંપૂર્ણ યોજના સાથે હુમલો કર્યો હતો. વાસ્તવમાં છેલ્લા કેટલાક સમયથી આરપી રેન્જમાં ઘણી આતંકી ગતિવિધિઓ થઈ રહી છે.

વર્ષની શરૂઆતના પહેલા જ દિવસે રાજૌરીના ઢાંગરીમાં આતંકવાદીઓ દ્વારા પાંચ હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. બીજા જ દિવસે IED બ્લાસ્ટમાં બે બાળકોના મોત થયા હતા. ગયા મહિને, 20 એપ્રિલે આતંકવાદીઓએ પૂંચ જિલ્લામાં સેનાના વાહન પર હુમલો કર્યો હતો. જેમાં સેનાના વાહન પર ફાયરિંગ કર્યા બાદ વિસ્ફોટકો ફેંકવામાં આવ્યા હતા. જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. તે આતંકીઓની શોધમાં છેલ્લા ઘણા દિવસોથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

શુક્રવારે માહિતીના આધારે સેનાની ટીમ દ્વારા રાજૌરી જિલ્લાના કાંડી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આમાં ઓપરેશન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે. આ રીતે છેલ્લા 15 દિવસમાં દસ જવાન શહીદ થયા છે. જેના કારણે બંને જિલ્લાની સુરક્ષા સઘન કરવામાં આવી છે. જો આ વર્ષની શરૂઆતની વાત કરીએ તો વર્ષના પહેલા દિવસે ઢાંગરીમાં આતંકીઓએ હુમલો કર્યો હતો.

સંપૂર્ણ પ્લાનિંગ સાથે હિન્દુ પરિવારોના ઘરમાં ઘુસીને હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં પાંચના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આતંકવાદીઓએ બીજા દિવસે પણ હુમલાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તે જ જગ્યાએ IED લગાવવામાં આવ્યો હતો. જ્યાં હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે આ જગ્યાએ IED લગાવવાની યોજના એવી હતી કે જ્યારે બીજા દિવસે VIP અહીં આવે તો તે નિશાન પણ બની શકે. પરંતુ બ્લાસ્ટ સમયે માત્ર બે બાળકો જ હાજર હતા. તે મૃત્યુ પામ્યા..

9 એપ્રિલે સેનાએ પૂંચ જિલ્લામાં ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી હતી. જેમાં એક આતંકી માર્યો ગયો હતો. જ્યારે બેની ધરપકડ કરવામાં આવી હતી. 16 ડિસેમ્બરે રાજૌરીમાં આલ્ફા ગેટ પાસે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં બે નાગરિકોના મોત થયા હતા. 7 જુલાઈ, 2022ના રોજ સુંદરબની વિસ્તારમાં એન્કાઉન્ટરમાં બે જવાન શહીદ થયા હતા અને ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. 6 ઓગસ્ટ, 2021ના રોજ થન્નામંડીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાવાઝોડાનું મોટું જોખમ!, 8મી મેના રોજ થશે આ ફેરફાર,શું થશે આની અસર જાણો
Next articleભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે બિલાવલ ભુટ્ટોને કહ્યા આતંકવાદની ફેક્ટરીનો પ્રવક્તા!.