Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ઉપભોક્તા બાબતોના સચિવે કઠોળની ઉપલબ્ધતાની સમીક્ષા કરી, કઠોળ ઉદ્યોગના હિતધારકો સાથે બેઠક...

ઉપભોક્તા બાબતોના સચિવે કઠોળની ઉપલબ્ધતાની સમીક્ષા કરી, કઠોળ ઉદ્યોગના હિતધારકો સાથે બેઠક યોજી

28
0

ઉપભોક્તા બાબતોનાં વિભાગનાં સચિવે યાંગુનમાં ભારતીય મિશન સાથે મ્યાનમારમાંથી અનાજ-કઠોળની આયાત સાથે સંબંધિત મુદ્દાઓ પર બેઠકની અધ્યક્ષતા કરી

(જી.એન.એસ),તા.૧૩

નવીદિલ્હી,

ઉપભોક્તા બાબતોના વિભાગના સચિવ શ્રીમતી નિધિ ખરેએ 15 એપ્રિલ, 2024થી ઓનલાઈન સ્ટોક મોનિટરિંગને કાર્યરત કરવા માટે કઠોળ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાતચીતની એક શ્રૃંખલા દરમિયાન એ વાત પર ભાર મૂક્યો કે, જે કોઈ પણ વ્યક્તિ કઠોળના ફોરવર્ડ ટ્રેડમાં સામેલ જણાશે, તેની સાથે આવશ્યક ચીજવસ્તુઓના કાયદાની વિવિધ જોગવાઈઓ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉદ્યોગ તરફથી મળેલા પ્રતિસાદ અને બજારના વિવિધ ખેલાડીઓ સાથે સ્ટોકની સ્થિતિને લગતી બજારની ગુપ્ત માહિતીના ઇનપુટ્સને વધુ ચકાસણી માટે એકત્રિત કરવામાં આવ્યા છે. તેમણે યાંગુનમાં ભારતીય મિશન સાથે મ્યાનમારમાંથી કઠોળની આયાત સાથે સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી, જેમ કે સુધારેલા વિનિમય દરો અને મ્યાનમારમાં આયાતકારો દ્વારા રાખવામાં આવેલા સ્ટોકને પગલે આયાતની કિંમતો. ભારતીય મિશને જાણકારી આપી કે વેપાર વ્યવહારોને સરળ બનાવવા અને તેમને વધુ કાર્યક્ષમ બનાવવા માટે રૂપી ક્યાત સેટલમેન્ટ મિકેનિઝમ 25 જાન્યુઆરી, 2024થી કાર્યરત કરવામાં આવ્યું છે.

સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમારે 26 જાન્યુઆરી 2024એ સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ (એસઆરવીએ) હેઠળ ચુકવણી પ્રક્રિયાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી વ્યવસ્થા સમુદ્ર અને સરહદ બંને વેપાર માટે અને માલ તેમજ સેવાઓના વેપાર માટે લાગુ થશે. વેપારીઓ દ્વારા આ વ્યવસ્થાને અપનાવવાથી ચલણના રૂપાંતરણ સાથે સંકળાયેલા ખર્ચમાં ઘટાડો થશે અને વિનિમય દર સાથે સંબંધિત જટિલતાઓ દૂર થશે, જે બહુવિધ ચલણ વાર્તાલાપોની જરૂરિયાતને દૂર કરશે.  વેપારી સમુદાયો અને ખાસ કરીને કઠોળના આયાતકારો વચ્ચે આ વ્યવસ્થા કાર્યરત કરવા અંગેના પ્રચાર-પ્રસાર અલગ કરવામાં આવી રહ્યાં છે, જેમાં તેમને પંજાબ નેશનલ બેંક મારફતે એસઆરવીએનો ઉપયોગ કરીને રૂપિયા/ક્યાત સીધી ચુકવણી પ્રણાલીનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.  આયાતકારો અને અન્ય ઉદ્યોગજગતના ખેલાડીઓ જેવા કે માલિકો, સ્ટોકિસ્ટો, રિટેલરો વગેરેને 15 એપ્રિલ, 2024થી પોર્ટલ https://fcainfoweb.nic.in/psp/ પર સાપ્તાહિક ધોરણે આયાતી યલો વટાણા સહિત કઠોળના તેમના સ્ટોકની પ્રામાણિકપણે જાહેરાત કરવા જણાવ્યું છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ સ્ટોકહોલ્ડિંગ કંપનીઓ દ્વારા સાપ્તાહિક સ્ટોક ડિસ્ક્લોઝર લાગુ કરવા અને તેમના દ્વારા જાહેર કરાયેલા શેરોની ચકાસણી કરવા પણ કહેવામાં આવ્યું છે. મુખ્ય પોર્ટ અને કઠોળ ઉદ્યોગના કેન્દ્રોમાં આવેલા ગોડાઉનોમાં સ્ટોકની સમયાંતરે ચકાસણી થવી જોઈએ અને સ્ટોક ડિસ્ક્લોઝર પોર્ટલ પર ખોટી માહિતી આપતા હોવાનું જણાતા સ્ટોકહોલ્ડિંગ એકમો પર કડક કાર્યવાહી થવી જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉનાળામાં વીજળીની માગને પહોંચી વળવા સરકારે ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સ કાર્યરત કરવા પગલાં લીધાં
Next articleઆંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડી પર વિજયવાડામાં “મેમંથા સિદ્ધમ” બસ પ્રવાસ દરમિયાન પથ્થરમારો