Home દેશ - NATIONAL ઉદયપુરમાં એક તાંત્રિકે કપલને જંગલમાં બોલાવી બંનેને મોતને ઘાટ ઉતાર્યા

ઉદયપુરમાં એક તાંત્રિકે કપલને જંગલમાં બોલાવી બંનેને મોતને ઘાટ ઉતાર્યા

45
0

દુનિયા ચંદ્ર પર પહોંચી ગઈ પણ છતાં આપણા દેશમાં હજુ કેટલાક લોકો તંત્ર-મંત્ર જેવી અંધવિશ્વાસુ વસ્તુઓમાં ગૂંચવાયેલા રહે છે. આવો જ કઈક મામલો રાજસ્થાનના ઉદયપુરથી સામે આવ્યો છે જ્યાં ઉદયપુરના ગોગુન્દા પોલીસ મથક વિસ્તારમાં ભાલેશ જોશી નામના તાંત્રિકની ડબલ મર્ડરના આરોપમાં હત્યા કરી નાખવામાં આવી છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે ગોગુન્દાના ભાદવી ગુડામાં તંત્ર વિદ્યાનું કામ કરે છે અને જે કપલની તેણે હત્યા કરી હતી તે તેને બદનામ કરવાની ધમકી આપતું હતું.

શું છે આ મામલો? તે જાણો… ડબલ મર્ડરનો આ મામલો ગોગુન્દાનો છે જ્યાં પોલીસને જંગલમાંથી બે મૃતદેહો મળી આવ્યા હતા. આ બંને મૃતદેહની ઓળખ રાહુલ મીણા (શિક્ષક) અને સોનું કુંવર તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે રાહુલ અને સોનું બંને એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં હતા અને એક સાથે આવવા માટે તેઓ વશીકરણનો સહારો લેવા માંગતા હતા. આ માટે તેઓ 52 વર્ષના ભાલેશ જોશીને મળ્યા જે ગામમાં તંત્રવિદ્યાનું કામ કરતો હતો. તાંત્રિક પોતે સોનું સાથે નીકટતા વધારવા માંગતો હતો. રાહુલને આ વાતની ખબર પડી ગઈ હતી. તેણે તેને ગામમાં બદનામ કરવાની ધમકી આપી. ભાલેશે બદનામીના ડરથી આ હત્યાને અંજામ આપ્યો.

ભાલેશે વશીકરણના મંત્રનું બહાનું કરીને બંનેને જંગલમાં બોલાવ્યા ત્યારબાદ તેણે બંનેને (રાહુલ અને સોનું)ને સેક્સ કરવાનું કહ્યું. આ દરમિયાન તક મળતા તેણે બંને ઉપર સુપરગ્લુ(ફેવીક્વિક) ફેંકી દીધુ. બંને ખરાબ રીતે એકબીજા સાથે ચોંટી ગયા અને એકબીજાથી છૂટવા માટે સતત કોશિશ કરતા રહ્યા પરંતુ સફળ થયા નહીં. ત્યારબાદ ભાલેશે બંનેને નિર્દયતાથી પથ્થરથી કચડીને મારી નાખ્યા. તેમના મૃતદેહ પોલીસને જંગલમાંથી અર્ધનગ્ન અવસ્થામાંથી મળી આવ્યા હતા જે સંપૂર્ણ રીતે લોહીથી લથપથ હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅશોક ગેહલોતે સચિન પાયલટને ટીકા કરીને મુખ્યમંત્રી પદને લઈને સ્પષ્ટ કર્યું પોતાનું વલણ
Next articleઠંડી આવતા રખડતા કૂતરાંઓનો ત્રાસ કેમ વધવા લાગ્યો? કેમ આક્રમક બની રહ્યા છે?…