Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં હોળીના શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના; ત્રણ જવાન ઘાયલ

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં હોળીના શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના; ત્રણ જવાન ઘાયલ

10
0

(જી.એન.એસ) તા. 15

ઉન્નાવ,

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં હોળીના શોભાયાત્રા દરમિયાન બબાલ થઈ હતી. પોલીસ પર પથ્થરમારો કર્યા બાદ લાઠીચાર્જ થયો હતો. જેમા અનેક લોકોને ઈજા પહોંચી છે. પોલીસ પર એકશન લેવાને લઈને ધરણા પણ શરુ થઈ છે. હાલમાં પોલીસ અધિકારીઓ ગુસ્સે થયેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવુ કહેવામાં આવે છે કે, ગંજમુરાદાબાદ તાલુકામાં પરંપરાગત હોળી શોભાયાત્રા દરમિયાન પોલીસ દ્વારા લાઠી ચલાવવાના કારણે ભાગદોડ મચી હતી. પરિસ્થિતિ બેકાબુ થતાં  ASP, CO અને SDM ઘટના સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તણાવપૂર્ણ માહોલને જોતા વહીવટીતંત્રએ મોટી માત્રામાં લશ્કરને તહેનાત કરી હતી. બીજી બાજુ હોળી જૂથ દોષિતો પર કાર્યવાહી કરવાની માંગને લઈને ધરણા પર બેઠી છે, જો કે  વહીવટીતંત્ર આ મુદ્દાને સમાધાન લાવવામાં વ્યસ્ત છે.

પથ્થરમારાની ઘટનામાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. અહીં, પોલીસે તોફાનીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. જે બાદ ભીડ વિખેરાઈ ગઈ. પોલીસના લાઠીચાર્જથી ઘણા લોકો ઘાયલ થયા છે. આરોપ છે કે પોલીસે ઘરમાં ઘુસીને લોકોને ખેંચીને બહાર કાઢ્યા અને માર માર્યો. પોલીસના લાઠીઓથી ઘાયલ થયેલાઓમાં મહિલાઓ પણ સામેલ હોવાનું કહેવાય છે. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે દારૂ પીને યુવકોનું એક જૂથ હંગામો મચાવી રહ્યુ હતુ, જેના પર હળવો બળપ્રયોગ કરવામાં આવ્યો છે.

આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકો હડતાળ પર બેસી ગયા હતા. તેમણે દોષિત લોકો સામે કાર્યવાહીની માંગ શરૂ કરી. માહિતી મળતાં જ ASP અને SDM ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમણે લોકોને સમજાવ્યું. પોલીસ વહીવટીતંત્ર આ મામલાને ઉકેલવામાં વ્યસ્ત છે. હોળીના દિવસે શાહજહાંપુરમાં લાટ સાહેબની શોભાયાત્રામાં અંધાધૂંધી મચી ગઈ હતી. અહીં હોળી રમી રહેલા ગુંડાઓએ પોલીસ પર ચંપલ અને જૂતા ફેંક્યા અને ઈંટો અને પથ્થરોથી પણ હુમલો કર્યો. હોબાળો મચાવી રહેલા યુવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field