Home દેશ - NATIONAL ઇમ્ફાલ પશ્ચિમમાં ટોળકીએ હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો, ૩ લોકોના મોત

ઇમ્ફાલ પશ્ચિમમાં ટોળકીએ હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો, ૩ લોકોના મોત

54
0

(GNS),07

મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે હવે અસામાજીક તત્વોના ટોળાએ એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો હતો, જેમાં એક મૈતેઈ સમુદાઈની મહિલા, તેના પુત્ર અને એક સંબંધીની હત્યા થઈ છે. મહિલાના લગ્ન કુકી સમુદાયમાં થયા હતા. તે ગોળી વાગતા ઘાયલ થયેલા તેના સાત વર્ષના પુત્રને તે હોસ્પિટલ લઈ જઈ રહી હતી. એમ્બ્યુલન્સ સાથે પોલીસની ટીમ પણ ત્યાં હતી. આમ છતાં ટોળાએ તેમના પર હુમલો કર્યો અને ત્રણ લોકોની હત્યા કરી છે. મામલો ઇમ્ફાલ પશ્ચિમના ઇરોસિમ્બા વિસ્તારનો છે. રવિવારે સાંજે 7 વાગ્યે ટોળાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે એમ્બ્યુલન્સમાંથી મૃતદેહોના કેટલાક હાડકાં કબજે કર્યા છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી હિંસામાં સેંકડો લોકોના મોત થયા છે.

મિડીયા રિપોર્ટ મુજબ, રવિવારે મહિલા ગોળીથી ઘાયલ થયેલા તેના પુત્રને લઈને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં ટોળાએ તેમને ઘેરી લીધા હતા. પોલીસની ટીમ પણ તેમની સાથે હતી તે બાદ પણ ટોળાએ એમ્બ્યુલન્સને આગ ચાંપી દીધી હતી. એમ્બ્યુલન્સમાં મહિલા, તેનો પુત્ર અને તેના સંબંધીઓ જ હતા. ત્રણેય દાઝી ગયા હતા અને તેમનુ મૃત્યુ થયુ છે. ઈમ્ફાલ પશ્ચિમમાં બનેલી આ ઘટનામાં પોલીસે એફઆઈઆર નોંધી છે, જેમાંથી જાણવા મળ્યું છે કે પોલીસને તેના મૃતદેહના માત્ર થોડા જ હાડકાં મળ્યા છે. મૃતકોની ઓળખ મીના હેંગિંગ, તેનો પુત્ર ટોમશિંગ, જેની ઉંમર સાત વર્ષથી ઓછી છે અને મીનાના સંબંધી લિડિયા લોરેમ્બમ તરીકે કરવામાં આવી છે. પીડિતોના એક સંબંધીએ જણાવ્યું કે રવિવારના ગોળીબારમાં તેમનો પુત્ર ઘાયલ થયો હતો.

જ્યારે આ ઘટના બની ત્યારે તે રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ જઈ રહ્યો હતો. ઇમ્ફાલની પશ્ચિમે આવેલા કાંગચુપ વિસ્તારમાં કુકી સમુદાયના કેટલાય ગામો છે. આ વિસ્તાર કાંગપોપકી જિલ્લામાં આવે છે. નજીકમાં મેઇતેઈ ગામ ફાયેંગ પણ છે. જો કે એમ્બ્યુલન્સમાં આગ કેવી રીતે લાગી તે અંગે પોલીસ તપાસ કરશે. હિંસાના બીજા તબક્કામાં 27 મેના રોજ અહીં ભારે ગોળીબાર જોવા મળ્યો હતો. મણિપુરમાં પહેલીવાર 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી. થોડા દિવસો સુધી પરિસ્થિતિ કાબૂમાં રહી, પરંતુ પછી હિંસા વધુ તીવ્ર બની. દરમિયાન, શાંતિ જાળવવાના સંઘર્ષમાં, ગૃહ પ્રધાન અમિત શાહે પણ રાજ્યની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પીડિતોના કેટલાક કેમ્પની મુલાકાત પણ લીધી હતી. લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓડિશા દુર્ઘટનાના 8 દિવસ પહેલા રેલવેએ ટ્રેનની સુરક્ષાને લઈને આપ્યું હતું અપડેટ
Next articleદિલ્હી-સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયા ફ્લાઈટનું એન્જિન ફેલ થયું