Home ગુજરાત ખૂનના બદલામાં ખૂન : ધોરાજીના ખેડૂતનું અપહરણ કરી ચાર ગોળી મારી હત્યા

ખૂનના બદલામાં ખૂન : ધોરાજીના ખેડૂતનું અપહરણ કરી ચાર ગોળી મારી હત્યા

495
0

(જી.એન.એસ.)ધોરાજી,તા.૫
ધોરાજી તાલુકાનાં ભાડેર ગામે રહેતા એક ખેડૂતનું ગઇકાલે અપહરણ કરી કુખ્યાત જુસબ અલ્લારખા સાંઢએ નાંદરખી ગામની સીમમાં 4 ગોળી મારી હત્યા કરી નાંખી હતી. થોડા દિવસ પહેલા જુસબના કાકાની હત્યા થઇ હતી તેનો બદલો લેવા ખેડૂતની હત્યા થયાનું જાણવા મળ્યું હતું પ્રૌઢનાં મૃતદેહને જૂનાગઢ સિવિલ હોસ્પિટલે પીએમ માટે ખસેડાયો હતો. બનાવને પગલે મૃતકનાં સગાંસંબંધીઓ હોસ્પિટલે પહોંચી ગયા હતા. અને પોલીસ પણ પહોંચી હતી. પરંતુ હજુ સુધી કોઇ આ બનાવની ફરિયાદ કરવા આગળ નથી આવ્યું. જો કે, થોડીવાર બાદ મૃતકનાં કુટુંબીજનો હોસ્પિટલેથી ચાલ્યા ગયા હતા. આથી ફરિયાદી કોને બનાવવો એ મામલે પોલીસ મુંઝવણમાં મૂકાઇ ગઇ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેજરીવાલની જીત છતાં ઓફિસરોના ટ્રાન્સફર-પોસ્ટિંગને લઈ વિવાદ યથાવત્
Next articleનગ્ન સત્ય ઃ દારૂબંધીની વાતો કરનારા જ દારૂના ધંધામાંથી અઢળક કમાય છે…!!